હેતુઓ

  1. સમાજનાં  બૌધ્‍ધિક, નૈતિક અને સંસ્‍કારનો વિકાસ સાથે શિક્ષણનો પ્રચાર, પ્રસાર કરવો.
  2. શૈક્ષણિક વિકાસ માટે કેળવણી વિષયક સંસ્‍થાઓ જેવી કે બાલમંદિર, પ્રાથમિક શાળા, માધ્‍યમિક શાળા, આર્ટસ-કોમર્સ, સાયન્‍સ કોલેજો સ્‍થાપવી, ચલાવવી, અને નિભાવવી.
  3. ધો. ૮,૯,૧૦,૧૧ અને ૧ર માં ભણતા વિધૅાર્થિ – વિધૅાર્થિનીઓના ટયુશન વર્ગો તાલુકા અને ગ્રામ્‍ય મથકોએ શરૂ કરવા અને તેનું સંચાલન કરવુ.
  4. ઉચ્‍ચ અભ્‍યાસ જેવા કે મેડિકલ, પેરા મેડિકલ, આઇ.ટી ટેકનોલોજી અભ્‍યાસ તથા અન્‍ય વિશિષ્‍ટ અભ્‍યાસ માટે વિધાર્થિ-વિધાર્થિઓ ને ટ્રસ્‍ટની મર્યાદામાં મદદ કરવી.
  5. યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી, બેંકિંગ પરીક્ષા, ગૌણ સેવાની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓના વર્ગો શરૂ કરવા, નિભાવવા તેમજ તાલીમ આપવી.
  6. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે ગૃહ-ઉધોગ, શિવણવર્ગો, ભરત ગૂંથણના વર્ગો શરૂ કરવા, નિભાવવા તેમજ તાલીમ આપવી
  7. યુવાન-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ રોજગારલક્ષી તાલીમ કેન્‍દ્રો સ્‍થાપવા, તાલીમ કેન્‍દ્રોમા વિવિધ પ્રકારની તાલીમ આપવી.
  8. કુમાર-કન્‍યાઓ માટે છાત્રાલયો શરૂ કરવા, તેનું સંચાલન કરવું, નિવાસી શાળા પણ શરૂ કરવી.
  9. સમાજમાં ફેલાતી અંધ-શ્રધ્‍ધા અને વ્‍યસન મુકતિનો તેમજ કુરિવાજોને દૂર કરવા વિવિધ સામાજીક, ધાર્મિક શૈક્ષણિક તેને લગતી આનુંશંગિક પ્રવૃત્તિઓ ચલાવવી. અને નિભાવવી.
  10. સમાજના નાગરિકો માટે જ્ઞાન શિબિરો, વ્‍યાખ્‍યાનો, પ્‍મ્રવચનો અને મેળાવડાનું આયોજન કરવું,  કરાવવું.
  11. કુદરતી સંકટ જેવા કે આગ, અતિવૃષ્‍ટિ , અનાવૃષ્‍ટિ, ભુકંપ, દુષ્‍કાળ વગેરે સમયે યોગ બનેલ કુટુંબોને, વ્‍યકિતઓને મદદરૂપ થવું તેમજ તેવા સમયે જરૂરીયાત વાળાને અનાજ, કપડા તેમજ અન્‍ય સહાય કરવી.
  12. સામાજીક પ્રસંગોની ઉજવણીમાં ઉપયોગમાં લઇ શકાય તે માટે કાયમી ધોરણે સમાજવાડી (કોમ્‍યુનિટી હોલ)  બનાવવી.
  13. ગ્રામ્‍ય વિસ્‍તારમાં વસતા સમાજના લોકોની સુખાકારી માટે વિવિધ રોગોની તપાસણી માટે સ્‍વાસ્‍થ્ય ચેક-અપ કેમ્‍પો યોજવા, નેત્રયજ્ઞ યોજવા.